રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં હાલમાં કર્ફ્યુ લાગુ છે, ઘોડેસવારો દ્રારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

રાજકોટ,

તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં હાલમાં કર્ફ્યુ લાગુ છે. તે વિસ્તારમાંથી આજી નદીના પટમાં થઈને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ G.I.D.C. વિસ્તારમાં આવી શકાય તેમ હોય. જે જગ્યાએથી કોઈ પણ ઈસમ વિસ્તાર બહાર ભાગી અને બીજા વિસ્તારમાં જતા ના રહે તે માટે આ નદીના પટમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જે.સી.પી. ખુર્શીદ એહમદ ના માર્ગદર્શનથી ડી.સી.પી. ઝોન.૧ રવિ મોહન સૈની, એ.સી.પી. એચ.એલ.રાઠોડ તથા પી.આઇ. જી.એમ.હડીયા પી.એસ.આઇ. જાદવ તેમજ ઘોડેસવારો દ્રારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment